Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ચપટી..ભભૂત મેં ..હૈ..ખજાના કુબેરકા

સોમનાથ મંદિરને કોરોના સંક્રાંતિ વર્ષમાં ૨૦ કરોડ ૩૫ લાખની આવક થઇ !

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ,તા. ૯ : વિશ્વ પ્રસિધ્ધ સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરને વર્ષ ૨૦૨૦- ૨૧ એટલે કે કોરોના સંક્રાંતિ કાળમાં રૂપિયા ૨૦ કરોડ અને ૩૫ લાખની વાર્ષિક આવક થઇ તેમ સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીએ જણાવ્યું.

ટ્રસ્ટી મંડળના ઓડીટ અહેવાલ અનુસાર ગત વરસે ટ્રસ્ટની કુલ આવક ૪૬.૨૯ કરોડ થયેલ જેની સામે રૂપિયા ૩૫.૮૦ કરોડનો ખર્ચ થયેલ તેમ ટ્રસ્ટી મંડળની ઓનલાઇન મીટીંગમાં વર્ષ ૨૦૧૯-૨૦ના ઓડીટ હિસાબ મીટીંગમાં રજુ કરતા જણાવાયું હતું. (૨૨.૯)

સોમનાથ મંદિરની આવક

વર્ષ

આવક રૂપિયા

૨૦૧૨-૧૩

૨૨ કરોડ

૨૦૧૩ -૧૪

૩૧ કરોડ

૨૦૧૪-૧૫

૩૪ કરોડ

૨૦૧૫ -૧૬

૩૩ કરોડ

૨૦૧૬-૧૭

૩૫ કરોડ

૨૦૧૭-૧૮

૪૦ કરોડ

૨૦૧૮-૧૯

અપ્રાપ્ય

૨૦૧૯-૨૦

૪૬.૨૯ કરોડ

ટ્રસ્ટની વાર્ષિક આવક

૨૦૦૫-૦૬

૬.૫ કરોડ

વર્ષ ૨૦૦૦માં

૨.૮ કરોડ

(10:19 am IST)