Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

હોમીયોપેથીની શોધ કરનાર ડો.સેમ્યુઅલ હનીમનનો જન્મદિન

સાવરકુંડલા તા. ૧૦ : હોમિયોપેથીએ એક એવી સારવાર આપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેમાં અલગ-અલગ રોગોની અલગ-અલગ દવાના આપતા બધા રોગોની એક જ દવા જે તે વ્યકિતની તાસીર ઉપરથી આપવામાં આવે છે  જેથી તેમાં રોગો નહિ પરંતુ રોગીની દવા કરવામાં આવે છે.

હોમિયોપેથીની શોધ કરનાર ડો. સેપ્યુઅલ હનીમન સરનો જન્મ ૧૦ એપ્રિલ ૧૭પપ ના જર્મનીના મીસેન નામના નાનકડા ગામમાં થયો હતો, ૧૯૭૯ માં એમને MBBS, MD ની ડીગ્રી મળી, અને ૧૭૮૦ માં એમને પોતાની પ્રેકટીસ નાનકડા ગામમાં શરૂ કરી, પરંતુ ત્યારે ચાલતી સારવારની પદ્ધતિથી એમને સંતોષ ના થતા તબીબી વ્યવસાય છોડી દીધો, અને તેમની ૧૮ ભાષા આવડવાની કળાને લીધે એમને તબીબી પુસ્તકોનું અલગ-અલગ ભાષામાં અનુવાદ કરવાનું શરૂ કર્યું, આ કરતા ૧૭૯૦ માં એક ફુલેન્સ મટેરીયા મેડીકામાં એક વાકય એવું આવ્યું કે સીન્કોના વૃક્ષની છાલ તેના કડવા ગુણથી મલેરિયા મટાડી શકે છે, આ વાત એમના ગળેના ઉતરતા એમને થયું કડવી વસ્તુ તો ઘણી છે બધી વસ્તુ મલેરિયા મટાડતી નથી તેથી તેમને સતત ૬ વર્ષ સુધી પ્રયોગ કર્યા અને છેવટે એ તારણ પર આવ્યા કે જે તત્વ જેવા પ્રકારનો રોગ કે ચિન્હ સર્જી શકે છે તે જ તત્વમાંથી બનતી દવા તે રોગને મટાડી શકે છે. અને ૧૭૯૬માં હોમિયોપેથી પદ્ધતિની શોધ થાય હતી. આ પદ્ધતિ વૈદક સિદ્ધાંતો પર આધારિત છે. તેના મૂળભૂત સિદ્ધાંતો નીચે મુજબ છે. Law Of Similla-ઝેરનું મારણ ઝેર Law Of Simplex- એક સમયે એક જ દવા Law Of Minimum ઓછામાં ઓછી માત્રામાં દવા. આ સિદ્ધાંતો પર કાર્ય કરતી હોવાથી હોમિયોપેથીક દવાની આડ અસર થતી નથી.

અસ્વસ્થ મન અસ્વસ્થ શરીર માટે જવાબદાર છે. હોમિયોપેથી દવા માણસના ડાયાબીટીસ, હાઇપરટેન્સ, કેન્સર જેવા રોગો મટાડે છે. વિશેષ માનસિક સ્વસ્થતા પણ આપે છે. હોમિયોપેથીએ રોગોને જડમૂળથી મટાડવામાં મદદ કરે જ છે સાથે સાથે અમુક રોગોમાં જયાં ઓપરેશન જરૂરી છે એવા રોગો જેવા કે પથરી, ગાંઠ, કપાસી, હરસ, મસાને દવાથી મટાડે છે અને એ રોગો વારંવાર થતા હોઇ એની તાસીર પણ મટાડે છે.

હોમિયોપેથી સારવાર ગર્ભવતી સ્ત્રીને થતી તકલીફ માટે સાઇડ ઇફેકટ વગર અને એ સિવાય બાળકને વારસાગત રોગો ના થાય એના માટે રોગપ્રતિકાર શકિત પણ આપે છે. ૧ થી પ વર્ષ સુધી બાળકને હોમિયોપેથીક દવા આપવામાં આવે તો એમની રોગપ્રતિકારક શકિત વધે છે અને કુટુંબના વારસાગત રોગો જેવા કે ડાયાબીટીસ, હાયપરટેન્સન, થાઇરોઇડ, ઓસ્ટીઓઆર્થરાઇટીશ થવાની શકયતા ઘટી જાય છે.

હોમિયોપેથીએ સૌથી વધુ પ્રચલિત થતી અને વપરાતી સારવારોમાં બીજા નંબરે છે. હાવર્ડ યુનિવર્સિટીએ આપેલા હોમિયોપેથીના સારા સમાચાર પ્રમાણે ર૦૦ર & ર૦૦૭ માં ૧.૭% થી ૧.૮% વપરાશમાંથી ર૦૧ર માં ૧પ% વધારો થયો છે. હોમિયોપેથી માટેની ખોટી માન્યતાઓ સામે હવે આ પદ્ધતિ માટેની હકીકત લોકોને સમજાવવા લાગી છે અને હવે હોમિયોપેથીક કોલેજોમાં ભણતા વિદ્યાર્થી આ જાગૃત્તત્તા લાવવા માટે વધુમાં વધુ કાર્યરત બન્યા છે અને આજ ના દિવસે વિદ્યાર્થીઓ અલગ-અલગ જગ્યાએ જઇ ને લોકોને મળીને હોમિયોપેથી વિશેની પૂરી જાણકારી આપે છે અને એના ઉપયોગ વિશે સમજાવે છે.

: સંકલનઃ

ડો. નીરવ માનસેતા

એમ.ડી.હોમિયોપેથ

સાવરકુંડલા

(12:58 pm IST)