Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

મુખ્યમંત્રી રાહત ફંડમાં મમતા સખી મંડળ દ્વારા રૂ.૧૫,૫૫૫ નો ચેક અર્પણ

ભાવનગર જિલ્લાના પાટણા ગામની સખી મંડળની આ બહેનો સિલાઈકામ કરી આર્થિક ઉપાર્જન કરી રહી છે

ભાવનગર, તા.૧૦: એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત રચના થયેલ ભાવનગર જિલ્લાના સખીમંડળો આર્થિક ઉપાર્જન અને સ્વનિર્ભર થવા માટે અલગ અલગ પ્રવૃત્ત્િ।ઓ કરે છે. જેમા પાટણા ગામના મમતા સખી મંડળ અને જય માતાજી સખી મંડળની બહેનો સિલાઈ કામગીરી કરીને પણ આર્થિક ઉપાર્જન કરે છે અને આજે વિશ્વ અને રાષ્ટ્ર ઉપર કોરોનાની મહામારીમા આ મહિલાઓ માસ્ક બનાવીને આ વાયરસનો ફેલાવો ન થાય તે માટે પોતાનો સહયોગ આપી રહ્યા છે અને સાથે સાથે રોજગારી પણ મેળવી રહ્યા છે.

આજરોજ ભાવનગર કલેકટર કચેરી ખાતે ભાવનગર જિલ્લાના કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરાનવાલને મમતા સખી મંડળના પ્રમુખ મંજુલાબેન દ્વારા રૂ. ૧૫,૫૫૫નો ચેક અર્પણ કરવામા આવેલ છે. આ સમયે મંજુલાબેનએ ગૌરવ અનુભવતા જણાવેલ કે આ સંવેદન સરકાર દ્વારા મહિલાઓ માટે અનેકવિધ યોજનાઓ બનાવી છે અને સરકાર સતત મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તે માટે પ્રયત્ન કરી રહી છે ત્યારે આ મહામારીના સમયમા અમને માસ્ક બનાવીને જે નફો થયો છે તેમાંથી અને અમારૂ યોગદાન આપવામા કેમ પાછા પડીએ. આ એક ઉદાર ભાવના સાથે આ મહિલાઓએ મુખ્યમંત્રી રાહત ફંડમા ચેક અર્પણ કરેલ છે.

(11:47 am IST)