Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

મોરબી જિલ્લાના ખેડૂતોને તાત્કાલિક પાક વીમો ના મળે તો કાનૂની કાર્યવાહીની ચીમકી

મોરબી, તા.૧૦:  ખેડૂતોને કાયમી સતાવતો પાકવિમાનો પ્રશ્ન દર વર્ષ સર્જાતો હોય છે અને ખેડૂતો લાચારી અનુભવતા હોય ત્યારે ખેડૂતોના પાકવીમાંના પ્રશ્ને મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ આક્રમક જોવા મળી રહ્યું છે અને પાકવીમો તાત્કાલિક ના મળે દ્દં કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું છે.

ખેડૂતો પાકવીમાં મામલે સંમેલન તેમજ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે ધોમ ધખતા તાપમાં ખેડૂત પરેશાન થાય છે અને કાળી મજુરી કર્યા બાદ પણ ખેડૂતોને ઉપજ મળતી ના હોય અને બીજી તરફ પાકવીમાં કંપનીઓની દાદાગીરીને પગલે ખેડૂતો અંતિમ પગલું ભરવા મજબુર બનતા હોય છે ખેડૂતોને પાકવીમાંના પુરા પૈસા ચુકવાતા નથી જેથી હવે ખેડૂતોને ચોમાસુ નજીક હોય ત્યારે બિયારણ, દવા, ખાતરની ખરીદી કરવી છે પરંતુ વીમાની રકમ મળી નથી જેથી ખેડૂત દુખી છે અને ખેડૂતોએ પ્રીમીયમ ભર્યા છતાં પાકવીમા આપવામાં વીમા કંપની આનાકાની કરે છે જેથી જો સરકાર વીમા માટે કાઈ વિચારશે નહિ અને તાકીદે વિમાનો પ્રશ્ન ના ઉકેલાય દ્દં મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે.

(3:42 pm IST)