Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

વાંકાનેરની સરકારી હોસ્પિટલ પાસે હનુમાનજી મંદિરે શ્રીરામચરિત માનસ કથા

વ્યાસપીઠે અમરેલીવાળા પુ.આરતીબેન કથા રસપાન કરાવશે

વાંકાનેર તા.૧૦ : સરકારી હોસ્પિટલ પાસે શ્રી રામભકત હનુમાનજીના મંદિરે ચૈત્ર માસમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રી રામચરિત માનસ કથાનુ આયોજન છે. તા.૧૧ થી તા.૧૯ શુક્રવાર સુધી દરરોજ સવારે ૯ થી ૧૨ બપોરે ૩ થી ૬ સુધી મંદિર પાસેના વિશાળ પટાંગણમાં કરેલ છે.

અમરેલી વાળા મહીલા કથાકાર પ.પુ. આરતીબેન જોષી પોતાના મધુર કંઠે અને સાજીંદાઓના સંગીતની સુરાવલી સાથે શ્રી રામચરીત માનસ કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન આવતા પાવન પ્રસંગો શિવવિવાહ, શ્રીરામજન્મ, શ્રી રામ વિવાહ, શ્રી રામચરણ પાદુકા, રામેશ્વર સ્થાપના, રામ રાજય અભિષેક સહિતના પાવન પ્રસંગો ઉજવાશે.કથા શ્રવણ કરવા માટે મંદિરના મહંત રાજારામબાપુ, જેશારામ બાપુએ નિમંત્રણ પાઠવ્યુ છે. પોથીના યજમાન તથા પિતૃદેવોના મોક્ષાર્થે પુજનમાં ફોટા રાખવા કનુદાદા પંડયા (મોરબીવાળા) જેનો મો. ૯૯૧૩૯ ૯૨૦૮૫ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવ્યુ છે.

(11:55 am IST)