Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવેલ ઉમેદવારોએ ખર્ચના હિસાબો ચકાસણી માટે રજુ કરવાના રહેશે

સુરેન્દ્રનગર, તા.૧૦: સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કે. રાજેશની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯માં ઉમેદવારી નોંધાવેલ તમામ ઉમેદવારોએ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૭૭ની જોગવાઇ અનુસાર તથા ચૂંટણી પંચની સુચના મુજબ ઉમેદવાર દ્વારા ચૂંટણી અંગે કરવામાં આવતા રોજેરોજના ખર્ચના હિસાબો પ્રત્યેક ઉમેદવારે ચકાસણી માટે રજુ કરવાના થાય છે.

ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ ચૂંટણી અંગેના ખર્ચના હિસાબો તા.૧૨/૦૪/૨૦૧૯, તા.૧૬/૦૪/૨૦૧૯ અને તા.૨૦/૦૪/૨૦૧૯ ના રોજ ઉમેદવાર અથવા ઉમેદવારના અધિકૃત પ્રતિનિધિશ્રી મારફતે સવારના ૧૦-૦૦ થી ૧૭-૦૦ કલાકના સમય દરમિયાન જિલ્લા પંચાયત કચેરી(સ્વામી વિવેકાનંદ હોલ), સુરેન્દ્રનગર ખાતે ચકાસણી અર્થે ખર્ચ નિરીક્ષકશ્રી સમક્ષ રજુ કરવાના રહેશે.

(11:52 am IST)