Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

જુનાગઢનાં એડવોકેટની હત્યામાં જેલવાસ ભોગવતા વિક્રમ વાઘેલાનો રાત્રે આપઘાત

પેરોલ પર છૂટીને ઘરે આવ્યા બાદ મોતને મીઠુ કરી લીધુ

જૂનાગઢ તા. ૧૦ :.. જૂનાગઢનાં એડવોકેટની હત્યામાં જેલવાસ ભોગવતા વિક્રમ વાઘેલા નામનાં શખ્સ ગત રાત્રે અહીં તેના ઘરે આપઘાત કરી લીધા અરેરાટી વ્યાપી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢમાં કામદાર સોસાયટી પાસે રહેતા એડવોકેટ પ્રફુલભાઇ પરમારની ર્હુબળી પ્લોટમાં રહેતા વિક્રમ મગનભાઇ વાઘેલા નામનાં શખ્સે સામાન્ય બાબતમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરેલ.

આ ખુન કેસમાં વિક્રમ વાઘેલા (ઉ.૪૦) રાજકોટ જેલમાં સજા ભોગવતો હતો. પાકા કામનો કેદી જેલમાંથી પેરોલ પર છૂટીને  તેના જૂનાગઢ ખાતેના ઘરે આવેલ.

દરમ્યાનમાં ગત રાત્રે ૮.૩૦ કલાકે પોતાના ઘરે ઝેરી ટીકડા ખાય લેતા તેને તાત્કાલીક સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું.

પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ વિક્રમ વાઘેલાએ પ્રફુલભાઇ પરમારની  હત્યા સબબ થયેલી જેલ સજાનાં ટેન્શનને મોતને મીઠુ કરી લીધું હતું.

વધુ તપાસ એ. ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

(11:38 am IST)