Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ખંભાળિયામાં પીવાના પાણી માટે જરૂર પડશે તો ટેન્કર શરૂ કરાશે :વાસણભાઇ આહિર

ખંભાળિયા તા. ૧૦ :દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે તાજેતરમાં નિમાયેલા રાજયકક્ષાના મંત્રી વાસણભાઇ આહિર તાજેતરમાં દેવભૂમિ જિલ્લાની મુલાકાતે આવતા તેમણે દેવભૂમિ જિલ્લાના વડા મથક ખંભાળિયા ખાતે જિલ્લા અધિકારીઓ સાથે ખાસ કરીને પાણીની સ્થિતિ અંગે મિટીગ યોજી હતી.

જિલ્લા કલેકટર જે.આર.ડોડીયા, ડીડીઓ આર.આર.રાવલ તથા નાયબ કલેકટરો, મામલતદારો અને પા.પૂ. ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પીવાના પાણી અંગે ખાસ ચર્ચા કરી હતી તથા હાલ પીવાના પાણીની કયાંય તકલીફ અને પરેશાની હોય તો તે તાકિદે દૂર કરવા માટે સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી તથા જરૂર પડયે નર્મદા પાઇપ લાઇનનું પાણી તથા અંતરિયાળ વિસ્તારોના ગામોમાં પીવાના પાણી માટે ટેન્કરોની જરૂર પડે તો તે પણ ચાલુ કરવા જિલ્લા તંત્રને સૂચના આપી હતી.

(10:44 am IST)