Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

જૂનાગઢમાં તાળાની ચાવી રીપેર કરવા આવેલ બે સરદારજી રૂ. ૨.૫૨ લાખની ચોરી કરીને ફરાર

કેશોદમાં દિન દહાડે રૂ. ૪૫ હજારની રોકડનો હાથફેરો

જૂનાગઢ તા. ૧૦ : જૂનાગઢમાં તાળાની ચાવી રીપેર કરવા આવેલા બે સરદારજી વૃધ્ધના મકાનમાંથી રૂ. ૨.૫૨ લાખની મત્તાની ચોરી કરીને નાસી જતા સનસની મચી ગઇ હતી.

જૂનાગઢના વલ્લભનગરમાં શ્રીનાથ ટાવર પાસે રહેતા મગનલાલ દેવરાજભાઇ ચાવડા (ઉ.૭૬) નામના વૃધ્ધના ઘરે ગઇકાલે બપોરના સમયે બે અજાણ્યા સરદારજી ચાવી રીપેર કરવાના બહાને આવ્યા હતા.

આ દરમિયાન બંને ઇસમો વૃધ્ધની નજર ચુકવીને કબાટમાંથી રૂ. ૭૦ હજારની કિંમતનું સોનાનું મંગલસૂત્ર, રૂ. ૧.૮૦ લાખની કિંમતની સોનાની ૬ બંગડી વગેરે મળી કુલ રૂ. ૨.૫૨ લાખની માલમત્તાની ચોરી કરીને બંને સરદારજી નાસી ગયા હતા.

આ અંગે બી-ડીવીઝન પોલીસે વૃધ્ધની ફરિયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઇ એમ.આર.ગોહિલ ચલાવી રહ્યા છે.

કેશોદમાં બરસાના સોસાયટી પાછળ રહેતા અયુબખાન હબીબખાન બેલીમના બંધ મકાનના તાળા તોડી ધોળા દિવસે તસ્કરો પાંચ હજારની રોકડ ચોરી ગયા હોવાની પોલીસ ફરિયાદ થઇ છે.

(12:57 pm IST)