Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

સુરેન્દ્રનગરમાં નિવૃત રેલ કર્મચારીએ એસિડ પી લીધું: વ્યાજખોરોનો ત્રાસ

ગત ૩૧મીએ જ નિવૃત થયા છેઃ અગાઉ સંતાનોના લગ્ન માટે પાંચેક શખ્સો પાસેથી વ્યાજે નાણા લીધા'તા તે આકરી ઉઘરાણી કરતાં હોઇ કંટાળી ગયા

રાજકોટ તા. ૧૦: સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા રેલ્વે કોલોનીમાં રહેતાં નિવૃત રેલ્વે કર્મચારી અધિકારભાઇ હિરામનભાઇ પાટીલ (ઉ.વ.૬૦)એ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સુરેન્દ્રનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી હતી. અધિકારભાઇને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. જેમાં ત્રણના લગ્ન થઇ ગયા છે અને એક પુત્ર અપરિણીત છે. અધિકારભાઇ અગાઉ રેલ્વેમાં વાયરમેન હતાં. ગત ૩૧મીએ જ તેઓ નિવૃત થયા છે. તેના કહેવા મુજબ અગાઉ તેણે સંતાનોના લગ્ન પ્રસંગો માટે જુદા-જુદા લોકો પાસેથી વ્યાજે નાણા લીધા હતાં. પાંચ-છ શખ્સો પાસેથી દસેક લાખની મત્તા લીધી હતી. હાલમાં આકરી ઉઘરાણી થતી હોઇ કંટાળી જતાં આ પગલુ ભર્યુ છે. 

(12:02 pm IST)