Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

જૂનાગઢમાં વેપારીઓ રવિવારે દુકાન ખુલ્લી રાખી શકશે

ધારાસભ્ય ભીખાભાઇ જોષીની રજુઆત તંત્ર દ્વારા હકારાત્મક પ્રત્યુત્તર

જુનાગઢ, તા. ૧૦ : જુનાગઢ મહાશિવરાત્રી નિમિત્તે વેપારીઓ રવિવારે પણ દુકાન ખુલી રાખી શકશે.

મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઇ ચૂકયો છે ત્યારે દેશ વિદેશના યાત્રાળુઓ શહેરમાં આવી રહ્યા છે. ત્યારે તેમને કોઇપણ ખરીદીમાં મુશ્કેલી ન પડે તે માટે ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ તંત્ર સમક્ષ રજૂઆત કરતા મહાનગર પાલિકાએ હકારાત્મક પ્રત્યુતર આપ્યો છે જેને પગલે મહાશિવરાત્રીને લઇને લોકો રવિવારે પણ દુકાનો ચાલુ રાખી ધંધો કરી શકશે. તંત્ર સમક્ષ શ્રી જોષીએ રજુઆત કરેલ ત્યારે બિલ્ડર્સ અગ્રણી વિનુભાઇ અમીપરા પણ સાથે રહ્યા હતાં. (૮.૧૩)

(3:06 pm IST)