Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ભાવનગરમાં પ્રેમી ભાણેજના ઘરે રહેતી પરપ્રાંતિય મજુર અંજના દેવીની હત્યા

ભાવનગર તા.૧૦ : ભાવનગરમાં ભાણેજ સાથે પ્રેમ સંબંધો બાંધતા પતિને છોડી ભાણેજના ઘેર રહેવા ગયેલી પરપ્રાંતિય શ્રમિક મહિલાની ઘાતકી હત્યા થયાનો બનાવ બનવા પામ્યો છે.

બનાવની વિગતો એવી છે કે ભાવનગરના વરતે જ જીઆઇડીસીમાં મજુરી કામ કરતા મુળ બિહારના વતની ગોપીકિશન અને તેની પત્નિ સંધ્યાબેન (ઉ.વ.૩૦)ની બાજુમાં સંધ્યાબેનનો ભાણેજ રહે છે. સંધ્યાબેન અને તેના ભાણેજ સાથે પ્રેમ સંબંધો બંધાતા સંધ્યાબેન પતિનું ઘર છોડી છેલ્લા ૧પ દિવસ પ્રેમી-ભાણેજ સાથે રહેતી હતી.

દરમ્યાન સંધ્યાબેનની તેના પ્રેમી-ભાણેજના ઘેર કોઇ શખ્સે માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી. આ અંગે વરતેજ પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે આરોપી હાથવેંતમાં હોવાનું પોલીસે જણાવ્યુ છે.

(11:32 am IST)