Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મોરબીના જાંબુડિયા ગામ નજીક ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત.

ઓલ્વીન સિરામિક કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાદ્યો

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ નજીક ફેકટરીમાં કામ કરતા ૪૦ વર્ષના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
બનાવની મળતી માહિતી મુજબ જાંબુડિયા નજીક આવેલ ઓલ્વીન સિરામિક કારખાનાની ઓરડીમાં રહીને કામ કરતા કરસન ખીમજીભાઈ જોષી (ઉ.વ.૪૦) પોતાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.

(1:44 pm IST)