Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

શાપર વેરાવળમાં મનોજ યાદવનું કારખાનામાં વિજ કરંટ લાગતાં મોત

રાજકોટ તા. ૧૦: શાપરમાં કારખાનામાં કામ કરતાં યુવાનનું વિજ કરંટથી મોત નિપજ્યું હતું.

શાપર શિવમ્ એન્જિનીયરીંગ નામના કારખાનાની ઓરડીમાં રહેતો મનોજ ધર્મનાથ યાદવ (ઉ.વ.૨૮)ને સાંજે કારખાનામાં કામ કરતો હતો ત્યારે કરંટ લાગતાં બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

મેટોડામાં બેભાન થઇ જતાં ઇરફાન અંસારીનુેં મોત

મેટોડા ફિઝાન કપંની પાસે રહેતાં અને કારખાનામાં કામ કરતાં મો.ઇરફાન ઇદ્રીશ અંસારી (ઉ.૩૫)ને ગઇકાલે રૂમમાં હતો ત્યારે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને કરી હતી.

(11:32 am IST)