Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

કચ્છના જાણીતા મહિલા તબીબની જમીન બારોબાર વેચી દેવાતા ચકચાર

ભુજ,તા.૧૦: ભુજ સહિત કચ્છના જાણીતા વયસ્ક તબીબ ડો. દમયંતીબેન ગણાત્રા સાથે જમીનની કરાયેલ ઠગાઈના કિસ્સાએ ચકચાર સર્જી છે. આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ડો. દમયંતીબેન કનુભાઈ ગણાત્રાએ લખાવેલી ફરિયાદ અનુસાર અંજારના રેવેન્યુ સર્વે ન. ૯૮૨ વાળી પાંચ એકર પાંચ ગુઠા જમીન અંજારના જ હેમલ નવીનચંદ્ર દવે નામના ઇસમે મુંબઈમાં ખોટું પાવરનામું બનાવી તેમના નામની ખોટી સહી કરી દસ્તાવેજ કરી નાખ્યો હતો. આ જમીન અમરદીપસિંહ મહાવીરસિંહ વાદ્યેલાને નામે વેચાણનું અંજાર મધ્યે રજિસ્ટ્રેશન કરાયું હતું. ગત/૨/૧૨ ના મુંબઈમાં કરાયેલ પાવરનામા સમયે તેઓ ભુજ હોસ્પિટલમાં હતા. તેમના ખોટા પાનકાર્ડ, આધારકાર્ડ અને ફોટાઓ મેળવીને આ રીતે બોગસ રજિસ્ટ્રેશન કરાયું હોવાની ફરિયાદ કરાઈ છે. મુન્દ્રા પછી હવે અંજારમાં જમીનના મુદ્દે થયેલ બબાલથી કચ્છમાં જમીન માલિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

(11:08 am IST)