Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

જામજોધપુરના રવિ સરવૈયાને ખેતરમાં દવા છાંટતી વખતે ઝેરી અસરઃ જીવ ગયો

કોળી યુવાનનું રાજકોટમાં મોતઃ યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૦: જામજોધપુરના ખરાવાડ-૨માં રહેતાં રવિ ડાયાભાઇ સરવૈયા (ઉ.૨૨) નામના કોળી યુવાનનું ખેતરમાં દવા છંટકાવ વખતે શ્વાસમાં દવા ચડી જતાં ઝેરી અસર થવાથી મોત નિપજ્યું છે.

રવિ ૩૧મીએ સાંજે જગદીશભાઇની વાડીએ જીરાના પાકમાં દવા છાંટતો હતો ત્યારે ઝેરી અસર થતાં ઉપલેટા અને જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ મોત નિપજ્યું હતું.

મૃતયુ પામનાર રવિ બે ભાઇ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. તેના પિતા પણ ખેત મજૂરી કરે છે. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૬)

(11:51 am IST)