Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ભાવનગરમાં એકપણ કોરોના કેસ ન નોંધાતા તંત્રને રાહત

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ૯ :.. ભાવનગરમાં કોરોનાનાં કોઇ નવા કેસ નહિ નોંધાતા તંત્રએ રાહત અનુભવી હતી. આજે બે દર્દી ડીસ્ચાર્જ થતાં હવે ભાવનગરમાં કોરોનાનાં એકટીવ દર્દીની સંખ્યા ઘટીને ૩ર થઇ છે.

ભાવનગરમાં છેલ્લા ૧૩ દિવસથી રોજ-રોજ કોરોનાંનાં દર્દીઓ નોંધાતા હતાં. અને કોરોનાની ત્રીજી લહેરનો ડર લોકોમાં ફેલાયો હતો. દરમ્યાન બુધવારે ભાવનગરમાં એકપણ કેસ નોંધાયો નથી. જેથી લોકોએ અને તંત્રએ રાહત અનુભવી હતી. દરમ્યાન બે કોરોનાનાં દર્દીઓ કોરોના મુકત થતાં તેને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવતાં હવે ભાવનગરમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા ઘટી ૩ર થઇ છે.

(11:57 am IST)