Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ભાજપના ચિરાગ પટેલ અને પાસના અલ્પેશ કથીરિયા સામે બીન જામીનપાત્ર વોરંટ ઇસ્યુ થયું : ર૩ મીએ વધુ સુનાવણી

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા મામલે સેસન્સ કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યુ

અમદાવાદ, તા. તા. ૯ :  પાટીદાર અનામત સમિતિના કન્વીનર અને હાલ ભાજપના નેતા ચીરાગ પટેલ અને પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથિરીયા સામે અમદાવાદ સેસન્સ કોર્ટે બીનજામીન પાત્ર વોરંટ ઇશ્યુ કર્યુ છે. આ કેસમાં વધારે સુનાવણી આગામી ર૩ ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ દ્વારા અમદાવાદનાં જીએમડીસી ગ્રાઉન્ડમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ રેલી પછી યોજાયેલી સભા બાદ રાત્રિના સમયે તે સભા તોફાની બની ગઇ હતી. જેના કારણે ગુજરાતના અલગ-અલગ શહેરોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડયું હતું.અ ા ઉપરાંત કોમી વેમનસ્ય ફેલાવવાના સમાજમાં અરાજકતા વર્ગવિગ્રહ ફેલાવવા અને સરકારની સામે બાંયો ચડાવવા બાબતે હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલની સામે રાજદ્રોહનો કેસ દાખલ થયો હતો.

આ ઘટના ત્રણ વર્ષના સમય પછી હાર્દિકપટેલ, દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલની સામે સેન્સકોર્ટ દ્વારા ચાર્જફ્રેમ તૈયાર કરવામાં આવી હતી. અગાઉ એડિશનલ સેશન્સ જજ ડી.પી. મહિડાએ રાજદ્રોહના કેસમાં ચાર્જફ્રેસ કરતા હાર્દિક સહિતના આરોપીઓ સામે સુનાવણી શરૂ થઇ હતી. આ કેસમાં મહત્વની વિગતોના આધારે જજ ડી.પી. મહિડાએ હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલને તહોમતનામું ફરમાવ્યું હતું. જેથી દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા અને હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન રહેતા તેની સામે બીનજામીનપાત્ર વોરંટ કાઢતા, હાર્દિક પટેલ પ૦ મિનિટમાં જ કોર્ટમાં હાજર થઇ ગયો હતો અને ત્યારબાદ કોર્ટે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

(11:59 am IST)