Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

તપસ્વી ગુરૂદેવ પ્રત્યે શ્રધ્ધાથી મસ્તક ઝૂકે ત્યારે અઢારે વર્ણની મનની સર્વ કામનાઓ પૂરી થાય છેઃ પૂ.પારસમુનિ

આજથી જેતપુરમાં પોલા અઠ્ઠમની આરાધના

રાજકોટ,તા.૯: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રી જગદીશ મ.સા.ના સુશિષ્ય સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સાહેબ શ્રી તપસ્વીજી આશ્રમ- સમાધિ સ્થાન- જેતપુર તપસ્વી પ્રગટ પ્રભાવી પૂ.માણેકચંદ્રજી મહારાજ સાહેબની ૯૮મી પુણ્યતિથી આરાધના અર્થે જેતપુર પધારતા જેતપુર તપસ્વીજી સમાધિ સ્થાનના ટ્રસ્ટીઓ બિપીનભાઈ ગાંધી, દેવેન્દ્રભાઈ ગાંધી આદિ તથા શૈલેષભાઈ મહેતા આદિ તેમજ જેતપુર જૈન સંઘના પદાધિકારીગણ અને જૈન- જૈનેતરો આરાધનામાં જોડાયા.

આજે તા.૯ થી તા.૧૧ સુધી પોલા અઠ્ઠમની આરાધના તેમજ તપસ્વી ગુરૂદેવનો મૂળમંત્ર ઁ રીમ્ તપસ્વી માણેકચંદ્રજી ગુરો મમ રક્ષ રક્ષની જપ સાધના તેમજ વિવિધ કાર્યક્રમોનું પૂ.ગુરૂદેવની નિશ્રામાં આયોજન કરવામાં આવ્યુ છે.

પૂ.ગુરૂદેવે જણાવેલ કે તપસ્વી ગુરૂદેવનું સ્થાન તો ચેતનામય ઉર્જારૂપ સ્થાન છે. ગોંડલ સંપ્રદાયનું જાગતુ તીર્થ પ્રથમ ગોંડલ દાદા ડુંગર ગુરૂ ગાદી ઉપાશ્રય અને બીજુ તીર્થ એટલે તપસ્વી ગુરૂદેવ માણેકચંદ્રજી મહારાજ સાહેબનું સમાધિ સ્થાન.

સદ્દગુરૂ પ્રત્યે શ્રધ્ધા રાખીને ભકિત કરશો તો આપોઆપ શકિત મળશે. ગુરૂદેવ સિધ્ધ પુરૂષ હતા. તેમની પાસે તપસિધ્ધિ, જપસિધ્ધિ, વચનસિધ્ધિ, આસનસિધ્ધિ આદિ અનેક સિધ્ધિઓ હતી. અઢારે વર્ણના લોકો તપસ્વી ગુરૂદેવના સમાધિ સ્થાનમાં આવીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. તપસ્વી ગુરૂદેવનું સ્થાન જાગતુ સ્થાન છે.

(11:54 am IST)