Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ઉમરાળામાં સેવાસેતુ કાર્યક્રમ

પ્રભાસ પાટણ :વેરાવળ તાલુકાના ઉમરાળા ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૨૧૯૫ વ્યકિતલક્ષી પ્રશ્ર્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં રાજયબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાના હસ્તે મહિલા લાભાર્થીને સાધન સહાય પ્રેસર કુકર આપવામાં આવ્યું હતું. સેવાસેતુ કાર્યક્રમમાં લોકોના વ્યકિતલક્ષી પ્રશ્ર્નો જેવા કે,ઙ્ગઆધારકાર્ડ નોંધણી,ઙ્ગજન્મ મરણ પ્રમાણપત્ર,ઙ્ગમાં અમૃત્ત્।મ કાર્ડ,ઙ્ગજાતિના દાખલાનો નિકાલ કરવામાં આવ્યો હતો. મામલતદારશ્રી દેવકુમાર આંબલીયા,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ચૌધરી,ઙ્ગમામલતદાર અને તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ મોટીસંખ્યામાં અરજદારો સહભાગી થયા હતા.કાર્યક્રમની તસ્વીર.(તસવીરઃ દેવાભાઈ રાઠોડ .પ્રભાસ પાટણ)

(10:17 am IST)