Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

અવસર નાકિયા કુંવરજીભાઇને ગણાવે છે તક સાધુ: તેઓ ભાજપમાં મંત્રી પદની લાલસાથી ગયા છે

જસદણહાલમાં જસદણ પેટા ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપ તરફથી કુંવજી બાવળિયા મેદાને છે તો તેની સામે કોંગ્રેસે કુંવરજીભાઇને ચેલા ગણાતા અવસર નાકિયાને મેદાને ઉતાર્યા છે. અવસર નાકિયાએ ભાજપનાં નેતા કુંવરજી બાવળિયા પર આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, 'કુંવરજી બાવળિયા છેલ્લા સાત વર્ષથી ભાજપમાં જવાની તૈયારીઓ કરી રહ્યાં હતાં.'

અવસર નાકિયાએ ગુરૂ કુંવરજી બાવળિયા પર આરોપો લગાવતા કહ્યું કે, 'કુંવરજી બાવળિયા મારી કે તમારી માટે ભાજપમાં નથી ગયા. ભાજપે તેમને રૂપિયા અને ખાતું આપ્યું એટલે ગયા છે. કોળી સમાજના મતો મેળવવા માટે ભાજપને કોઇ કોળી ચહેરો નહોતો મળતો એટલે આ ભાઇને લઇ ગયા છે. કુંવરજી ભાજપમાં જવા માટે છેલ્લા સાત વર્ષથી પ્લાનિંગ કરી રહ્યાં હતાં.'

(3:58 pm IST)