Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

સૌરાષ્ટ્ર-કચ્છમાં બપોર સુધીમાં ૪૦ ટકા આસપાસ મતદાન

સવારથી જ 'મત'ના ઢગલાઃ મતદારોની કતારો લાગીઃસૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર સવારથી જ મતદાન માટે ભારે ઉત્સાહઃ ૫૪ બેઠકો માટે જંગઃ ટ૦ ટકા સુધી મતદાન થવાની શકયતા

રાજકોટ, તા., ૯ : આ વખતની ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહી છે. આ વખતે મતદાન ચાલું થાય તે પહેલાથી મતદાન મથકની બહાર લોકોએ લાઈન લગાવી દીધી હતી. જેના લીધે માત્ર ૨ કલાકની અંદર જંગી મતદાન થયું હતું. પોણા બે કલાકમાં ૧૦ ટકા મતદાન થયું હતું જે બાદ નવાં આંકડા સામે આવ્યા પ્રમાણે ૨ કલાકની અંદર ૧૫ ટકા મતદાન નોંધાયું હતું. ત્યાર બાદ બપોરના બે વાગ્યા સુધીમાં ૪૦ ટકા જેટલું મતદાન થયું હતું. જયારે સાંજ સુધીમાં ૭૦ ટકા જેટલું મતદાન થવાની શકયતા છે.

આ વખતે યુવાનો જે પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે તેમનો ચૂંટણી પંચ સહિતના લોકોએ ઉત્સાહ વધારવાના કાર્યો કર્યા છે. આ વખતે ચૂંટણી પહેલાના વિવાદોના કારણે ચર્ચામાં રહી છે. કોણ સત્ત્।ામાં આવશે તે અંગેની અનેક અટકળો પણ લગાવવામાં આવી રહી છે. જયારે પણ જંગી મતદાન થાય છે ત્યારે સત્ત્।ામાં મોટા પરિવાર્તનો જોવા મળી રહ્યા છે.

એક તરફ સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે તેને જોતા એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે રાજયમાં ભારે મતદાન થશે. તો બીજી તરફ EVM મશીન ખરાબ થવાના અહેવાલો પણ રાજયના અલગ અલગ જિલ્લાઓમાંથી આવી રહ્યા છે.

રાજકોટ જિલ્લામાં ૩૩ જગ્યા પર EVMમાં ખામી સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું. જયારે જામકંડોળામાં જયેશ રાદડિયા મતદાન કરવા ગયા ત્યારે EVMમાં ખામી સર્જાઈ હતી, અને તેમણે મતદાન માટે થોડો સમય રાહ જોવી પડી હતી.

વિધાનસભા ચૂંટણી માટે આજે સવારના ૮ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે અને પ્રારંભથી જ ઉત્સાહ પૂર્વક મતદાન કરીને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને સવારથી લાંબી લાઇનો લાગી છે.

 આજે શનિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની વિધાનસભાની ૫૪ બેઠકો માટે મતદાન યોજયું છે. આજે સવારનાં ૮ વાગ્યાથી મતદારોની લાઇનો લાગી છે. અને પોતાના મનગમતા પક્ષ અને ઉમેદવારને મત આપીને પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

લોકશાહીના મહાનપર્વ ઉજવવા માટે લોકોમાં થનગનાટ છે અને સવારથી જ પોત-પોતાના વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા મતદાર કેન્દ્ર સાથે મત આપવા માટે પહોંચી ગયા હતાં. અને મતદાન કર્યું હતું.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા મતદાન કેન્દ્ર ઉપર આજે સાંજનાં ૫ વાગ્યા સુધી મતદારો મતદાન કરશે અને ૧૯મીએ મતગણતરી કરાશે.

ભાજપ, કોંગ્રેસ ઉપરાંત જુદા-જુદા પક્ષો અને અપક્ષોએ આ ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે અને છેલ્લા ઘણા દિવસોથી પોતાના મત વિસ્તારોમાં પ્રચાર કાર્ય વેગવંતુ કરીને જુદી જુદી જગ્યાએ જાહેરસભાઓ સંબોધી હતી.

આજે સવારનાં ૮ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થયા બાદ સાંજના ૫ વાગ્યા સુધી મતદારો મતદાન કરશે અને ત્યારબાદ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે.

આ પ્રથમ તબક્કાની ચુંટણીમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, રાજ્યનાં મંત્રીઓ તથા ભાજપના ધુરંધરો જયેશભાઇ રાદડિયા, બાબુભાઇ બોખીરીયા, જશાભાઇ બારડ, ચિમનભાઇ શાપરીયા, હિરાભાઇ સોલંકી, પરસોતમભાઇ સોલંકી, બાવકુભાઇ ઉંઘાડ, મહેન્દ્રભાઇ મશરૂ, પબુભા માણેક, દિલીપભાઇ સંઘાણી, વાસણભાઇ આહિર, છબીલભાઇ પટેલ, નિમાબેન આચાર્ય, રમણભાઇ વોરા, કાંતિભાઇ અમૃતિયા, જીતુભાઇ સોમાણી, ગોવિંદભાઇ પટેલ, ડો.ભરતભાઇ બોઘરા, ગીતાબા જયરાજસિંહ જાડેજા, હરિભાઇ પટેલ, રાઘવજીભાઇ પટેલ, ધમેન્દ્રસિંહ જાડેજા, આત્મારામ પરમાર, સૌરભ પટેલ સહિતના દિગ્ગજો મદાનમાં છે.

જ્યારે સામા પક્ષે કોંગ્રેસમાંથી શકિતસિંહ ગોહિલ, અર્જુનભાઇ મોઠવાડીયા, કુંવરજીભાઇ બાવળીયા, પરેશભાઇ ધાનાણી, ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ, મિતલ દોંગા, અર્જુનભાઇ ખાટરીયા, રવિ આંબલીયા, બ્રિજેશ મેરજા, મોહમ્મદ પીરઝાદા, અશોકલાલ, જીવન કુંભાર વાડિયા, જવાહરભાઇ ચાવડા, હર્ષદ રીબડીયા, બાબુભાઇ વાજા, જે.વી. કાકડીયા, વિરજીભાઇ ઠુંમર, વિક્રમભાઇ માડમ, ભીખાભાઇ જોષી, જયેશ લાડાણી, પુંજાભાઇ વંશ, પ્રતાપભાઇ દુધાત, અમરીશ ડેર, પ્રવિણભાઇ મારૂ સહિતનાં મેદાનમાં છે.

જામનગરના પ્રતિનિધિ મુકુંદ બદીયાણીના અહેવાલ મુજબ આજે બપોરના બે વાગ્યા સુધીમાં જામનગર જીલ્લાના કાલાવાડ બેઠક ઉપર ૪૦.૬૬ ટકા જામનગર રૂરલ ૪૧.૬૬, જામનગર નોર્થ ૪૦.૦૮, જામનગર સાઉથ ૩૬.૦૮, જામજોધપુર  ૪ર.૯ર સાથે કુલ મતદાન ૪૦.૩ર ટકા થયું છે.

સુરેન્દ્રનગરના પ્રતિનિધિ ફઝલ ચૌહાણે જણાવ્યું કે, સુરેન્દ્રનગરમાં બપોર સુધીમાં ૩પ ટકા મતદાન થયું છે અને સાંજ સુધીમાં ૭પ ટકા મતદાન થવાની શકયતા છે.

જયારે જુનાગઢ જીલ્લાના માણાવદરમાં ૪૭.૪૪ ટકા જુનાગઢ શહેરમાં ૪ર.ર૯ વિસાવદર ૪૬.૩૧ કેશોદ ૪૩.૧૪ માંગરોળ ૩પ.પ૬ ટકા મતદાન થયું છે. પોરબંદર જીલ્લામાં બપોરના ૩ વાગ્યા સુધીમાં ૪૦.૭૯ ટકા મતદાન થયું છે. જયારે કુતિયાણામાં ૩૯.૩૧ ટકા મતદાન થયું છે. સાંજ સુધીમાં ૭૦ ટકા ઉપર મતદાન થવાની શકયતા છે. અમરેલી જીલ્લામાં સરેરાશ ૬૦ ટકા મતદાન થવાની શકયતા છે. બપોરના ૩ વાગ્યા સુધીમાં અમરેલીમાં ૪૩ ટકા મતદાન નોંધાયું છે.

 

(4:42 pm IST)