Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

પડધરીના થોરીયાળી ગામ પાસે આશ્રમમાં તસ્કરો ખાબકયાઃ ૯૦ હજારની મતાની ચોરી

મંદિરમાંથી ચાંદીનું છતર, સાંકળી તથા દાનપેટીમાંથી રોકડની ઉઠાંતરી

રાજકોટ તા. ૯ : પડધરીના થોરીયાળી ગામ પાસે આવેલ આશ્રમના મંદિરમાંથી તસ્કરો ચાંદીના આભુષણો અને રોકડ સહિત ૯૦ હજારની મતા ચોરી કરી ગયા હતા.

પ્રાપ્ય વિગતો મુજબ થોરાયાળી ગામ પાસે આવેલ રામાનંદ યોગ આશ્રમમાં રાત્રીના તસ્કરોએ પ્રવેશ આશ્રમમાં આવેલ મંદિરનું તાંળુ તોડી ચાંદીનું છતર રપ૦ ગ્રામ કિ. ૧પ૦૦૦, ચાંદીની સાંકળી એકકિલો કિ. ૬૦,૦૦૦ અને દાનપેટી તોડી રોકડ રૂ.૧પ૦૦૦ મળી કુલ રૂ.૯૦,૦૦૦ ની મતા ચોરી કરી ગયા હતા.આ અંગે આશ્રમના સંચાલક રમેશભાઇ લુહાગરીયાએ અજાણ્યા ઇસમો સામે ફરીયાદ નોંધાવતા પડધરીના પી.એસ.આઇ.એ.એ. પોપટે તપાસ હાથ ધરી છે

(11:45 am IST)