Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

વણા કેનાલના નાલાના સળિયા દેખાવા લાગ્યા

લખતર વણા રોડ પર આવેલી સાવડકી તલાવડી પાછળ સરકારી તંત્ર દ્વારા આશરે પાંચ વર્ષ પહેલા ખેતરાઉ માર્ગમાં નાળુ બનાવ્યું છે ત્યારે આ નાળાના સેનટીંગના સળિયા દેખાવા લાગ્યા છે ત્યારે નાળાથી વણા રોડ બાજુનું પેચિંગ બેસી ગયું હોય ખેડુતે ભીતી વ્યકત કરી છે કે તે પોતાના ખેતરથી પાકી ગયેલ પાક લઇ ઘરે પરત ફરતો હોય અને ટ્રેકટરની લારી કે ટ્રેકટરનું વહીલ જો બેસી ગયેલ પેચિંગમાં આવી જાય તો ટ્રેકટર અને દાડીએ આવેલ ખેત મજુર સાથે કંઇપણ બની શકે છે તો તાત્કાલીક ધોરણે નાળુ અને પેચિંગ રીપેર કરાય તો અત્યંત જરૂરી છે(તસ્વીરઃ અહેવાલ-ફઝલ ચૌહાણ-વઢવાણ)

(11:25 am IST)