Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કાલથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કચ્છના બે દિ'ના પ્રવાસેઃ ધોળાવીરા થઇ ધોરડોના રણમાં કરશે રાત્રિ રોકાણ

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૯: રાજયપાલ આચાર્ય દેવવ્રતજી આવતીકાલ તા/૧૦ અને તા/૧૧ એમ બે દિ'ના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આવતીકાલે ગાંધીનગરથી સીધા ધોળાવીરા જશે. ધોળાવીરા મધ્યે તેઓ વિશ્વની ૫૦૦૦ વર્ષ જુની હડપ્પન સંસ્કૃતિની મુલાકાત લેશે. તેઓ મંગળવારે સાંજે ધોળાવીરાથી તેઓ સીધા ધોરડો પહોંચી કચ્છના રણના અતિથિ બનશે. તેઓ રાત્રિ રોકાણ ધોરડો મધ્યે કરશે.

બુધવારે તેઓ ધોરડોથી પરત ગાંધીનગર જશે. જોકે, આ વખતે કચ્છના સફેદરણમાં પાણી ભરાયા છે.

(10:59 am IST)