Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ધોરાજીમાં શાંતિ સમિતિની બેઠક મળી

ધોરાજી,તા.૯: સુપ્રીમ કોર્ટ દ્વારા  રામ મંદિર વિષયક ચુકાદો અંગે વિવિધ ધર્મના લોકો વચ્ચે ખોટી ગેરસમજ કે અશાંતિ ન સર્જાઈ તે માટે ધોરાજી પોલીસ મથકે એ.એસ.પી. સાગર બાગમાર અને પોલીસ ઇન્સપેકટર વિજય જોષી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. ધોરાજી ના પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશીએ સૌને આવકારતા જણાવેલ કે ધોરાજીમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ભાઈચારો જળવાઈ રહે તે ભાવનાથી શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે આ સાથે ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા શહેર ભાજપના અગ્રણી વી ડી પટેલ મુસ્લિમ સમાજમાંથી હાજી ઇબ્રાહીમ ભાઇ કુરેશી વિગેરે અગ્રણીઓએ પોતાનો વ્યકિતગત અભિપ્રાય આપ્યો હતો બેઠકમાં ડી. એલ. ભાષા, પૂર્વ નગરપતિ વી. ડી. શહેર ભાજપ પ્રમુખ હરસુખભાઈ ટોપિયા, ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ વોરા, સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, શિક્ષણ અને સરકારી વકીલ કાર્તિકેય ભાઈ પારેખ ધોરાજી નગરપાલિકાના ઉપપ્રમુખ મકબુલભાઈ ગરાણા નગીનભાઈ વોરા તેમજ મુસ્લિમ સમાજના હાજી ઈબ્રાહીમભાઈ કુરેશી,બાસીતભાઈ પાનવાલા, અબ્દુલભાઇ નાલબંધ,રઝાકભાઈ દ્યોડી, સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ધોરાજી શહેરના વિવિધ જ્ઞાતિઓના આગેવાનો રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:21 pm IST)