Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

જેતપુરઃ વ્યાજખોરના ત્રાસથી સુનીલ દેવીપૂજકે આપઘાત કર્યાની ફરીયાદ

ચાની કેબીન ધરાવતા કારા મતવા સામે આપઘાત માટે મજબુર કર્યાનો ગુન્હો નોંધાયો

જેતપુર, તા. ૯ :. જેતપુરના યુવાને વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યાની પોલીસમાં ફરીયાદ થઈ છે.

બનાવની વિગત એવી છે કે, અત્રેના ફુલવાડી વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ ગોવિંદભાઈ સોલંકીના પુત્ર સુનીલે પાંચ દિવસ પહેલા ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધેલ હતી.

દરમિયાન ગઈકાલે મૃતક સુનીલના પિતા ગોરધનભાઈએ તાલુકા પોલીસમાં નોંધાવેલ કે સામા કાંઠા વિસ્તારમાં ચાની કેબીન ધરાવતા કારા સીદીકભાઈ મતવા (રહે. ઘેટાવાળા પ્લોટ) આરોપી મારા દિકરા સુનીલે રૂ. ૩૦,૦૦૦ વ્યાજે લીધેલ જેનુ વ્યાજ છેલ્લા પાંચ માસથી આપતો ન હોય આ શખ્સે મારા ઘરે આવી રૂપિયાની ઉઘરાણી કરી ગાળો આપી અને માર મારેલ અને ધમકી આપેલ કે રૂપિયા નહિ આપો તો તમને મારી નાખીશ જેથી માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરતા સુનીલે ઝેરી દવા પી આત્મહત્યા કરેલ જેથી પોલીસે તેની ફરીયાદ પરથી કારા સીદીકભાઈ મતવા વિરૂદ્ધ આઈપીસી ૩૦૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

(1:09 pm IST)