Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ધોરાજી જામકંડોરણાના ખેડૂતોને પાક વિમો આપવા ખેડૂતોની માંગણી

ધોરાજી તા.૯ : ધોરાજી જામકંડોરણા સહિત ના વિસ્તારો માં માવઠા ના વધારેઙ્ગ વરસાદના પગલે ખેડૂતો ના મગફળી અને કપાસનો પાક ને નૂકશાન થયેલ છે ખેડૂતો ને રાતા પાણી એ રડવા નો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો ને પાક વિમો આપવા ખેડૂતો ની માગ ઉઠી છે.

ધોરાજી જામકંડોરણા પથંક ના ખેડૂતો એ જણાવ્યું હતું કે માવઠા ના વરસાદ પડવાથી મગફળી, કપાસ, મગ, અડદ, તલ, જુવાર, બાજરો દિવેલા જેવા અનેક પ્રકારના પાકોને મોટૂઙ્ગ નુકશાની થયેલ છે જેથી ખેડૂતો ચિંતીત બની ગયેલ છે ખેડૂતો ના મગફળી અને કપાસના પાકો ને નૂકશાન થતા ખેડૂતો ને આથીક નૂકશાન થતા રાતા પાણી એ રડવા નો વારો આવ્યો છે ખેડૂતો આથીક રીતે ચિંતીત બની ગયેલ છે.

ખેડૂતો ના ખેતરો મા ભારે વરસાદ ના પગલે મગફળીના પાથરા પલળી જવાથી મગફળીનો ચારો ખરાબ થઇ ગયેલ છે અને દ્યાસ કામ આવે તેમ નથી તેમજ મગફળીની ગુણવતા ખરાબ છે તેમજ મગફળી જમીનમાં ઉગવા લાગેલ છેઙ્ગ કપાસના પાકને રૂ વિણવાનો સમય હોવાથી વરસાદને કારણે રૂ કાલામાંથીઙ્ગ નીકળીને જમીન સાથે ચોટી ગયેલ છે અને ખરાબ થઇ ગયેલ છે. વરસાદ સાથે પવન હોવાથી કપાસ પડી ગયેલ છે તલ પણ ખરાબ થઇ ગયા છે અને કમોસમી વરસાદથી ખેડૂતોનો ચારો સંપુર્ણ નાશ થયેલ છે અત્યારે ખેડૂત ભાઇઓને આ કુદરતી આફતથી ઉપર આભ અને નીચે ધરતી જાય તો જાય કયા એવી સ્થિતિ પેદા થઇ ગયેલ છે ખેડૂતો નેઙ્ગ ચિંતા મા મૂકાઈ જવા પામેલ છેે.

વધૂ માં ખેડૂતો એ જણાવ્યું હતું કે, સરકાર નુકશાનીના ફોર્મ ભરવાનો ૭૨ કલાકનો સમય આપેલ પણ વિમા કંપનીમા મોબાઇલમાં ફોન લાગતા ન હતા જેથી ૭૦ ટકા ખેડૂતો એ આ નુકશાનીમાં ફોર્મ ભરેલ નથી ત્યારે સરકાર દ્વારાઙ્ગ એડ હોક ધોરણે પાક વિમો ચુકવવા માગણી કરાઈ છે.

વીમા કંપનીઓએ વીમા રકમની આકારણીઓ કરવાની ગુંચવણ વાળી પધ્ધતિઓ બાજુમાં મુકીને સમય બગાડયાઙ્ગ વિના વિમા ની રકમ એડહોક ધોરણે પણ તાત્કાલીક ચુકવી આપવી જોઇએ તેવીઙ્ગ ખેડૂત સમુદાયના હિતમાં કાયવાહી સરકારે કરવા ખેડૂતો એ જણાવ્યું હતું.

(11:59 am IST)