Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

જામજોધપુર : ડો.આંબેડકરની પ્રતિમાનું અનાવરણ

જામજોધપુર : સંગ ચિરોડામાં ડો.આંબેડકરની પ્રતિમાનું અનાવરણ સાથે વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંગ ચિરોડા ગામમાં બપોરે ૩ વાગ્યે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયુ ઉપરાંત વિદ્યાર્થી સન્માન સમારોહ સાથે સાંજે ચાર વાગ્યે જાહેર સભાનું આયોજન કરાયુ હતુ. યુવા ભીમસેના ગ્રુપ દ્વારા ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ અને વિદ્યાર્થીઓનુ સન્માન કરાયુ હતુ. ઉપસ્થિત મહેમાનો બહુજન સાહિત્યકાર વિશનભાઇ કાથડ તેમજ યુવા ભીમસેના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી.ડી.સોલંકી જિલ્લા પંચાયત ચેરમેન રાજકોટ બાલુભાઇ વિંઝુડા તથા દેવદાનભાઇ તેમજ કેશુભાઇ પરમાર તેમજ પ્રવિણભાઇ સાગઠીયા તથા નરેશભાઇ બગડા રાહુલભાઇ ચાવડા તેમજ જામજોધપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી ભીમ સૈનિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અનાવરણ કાર્યક્રમની તસ્વીર. (તસ્વીર - અહેવાલ : દર્શન મકવાણા, જામજોધપુર)

(11:58 am IST)