Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ઝોંકુ આવતાં અમરેલીના રમેશભાઇ રાઠોડ ચાલુ ટ્રકમાંથી ફંગોળાતા મોત

વાંકાનેર કપાસ ભરીને જઇ રહેલા ટ્રકમાં મજૂર તરીકે જોડાયા હતાં: ચરખા-બાબરા વચ્ચે મોડી રાતે બનાવઃ રાજકોટમાં મોત

રાજકોટ તા. ૯: અમરેલીના જેસીંગપરા-૬માં રહેતાં રમેશભાઇ બાઘાભાઇ રાઠોડ (ઉ.૫૫) નામના કોળી પ્રોૈઢનું મોડી રાતે બાબરા અને ચરખા વચ્ચેના રોડ પર ચાલુ ટ્રકમાંથી ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ રમેશભાઇ અમરેલીથી અશોકભાઇ પ્રજાપતિનો ટ્રક વાંકાનેર કપાસ ખાલી કરવા જતો હોઇ તેમાં પોતે મજૂર તરીકે સામેલ થયા હતાં. રાત્રીના બારેક વાગ્યે ટ્રક બાબરા-ચરખા વચ્ચેના રસ્તા પર પહોંચ્યો ત્યારે રમેશભાઇ ટ્રકની કેબીનમાં બેઠા હોઇ ઝોંકુ આવી જતાં ચાલુ ટ્રકમાંથી રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી.

તેમને બાબરા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સવારે દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરી હતી.

(11:50 am IST)