Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ભાવનગરમાં રેસ્ટોરન્ટોમાં રસોડા ઉપરના 'નો-એન્ટ્રી'ના બોર્ડ દૂર કરાયા

ભાવનગર, તા. ૯ : ભાવનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના હિમાલીયા મોલમાં આવેલ અલગ-અલગ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ રસોડા પર લગાવવામાં આવેલ નો-એન્ટ્રીના બોર્ડ દૂર કરવામાં આવ્યા હતાં.

રેસ્ટોરન્ટની તપાસ દરમ્યાન પ૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી અંગે આરોગ્ય અધિકારી ડો. આર.કે. સિન્હાએ માહિતી આપી હતી.

આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ગ્રાહકો રસોડાનું નિરીક્ષણ કરી શકે તેવી રીતે પારદર્શક કાચ લગાવવા પણ રેસ્ટોરન્ટના સંચાલકોને સૂચના આપવામાં આવી હતી.

(11:47 am IST)