Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

જામનગરમાં ડેન્ગ્યુનો કહેર :જુલાઈથી ઓક્ટો, સુધીમાં 3 હજાર કેસ નોંધાયા:13 લોકોના મોત

જામનગરમા પણ ડેન્ગ્યુનો કહેર જોવા મળ્યો હતો. ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યુના 3 હજારથી વધુ કેસ જોવા મળ્યા હતા. જેમાં કુલ 13 લોકોના મોત થયા હતા. જ્યારે ત્રણ હજાર પચાસ લોકોને સારવાર કરીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

  ડેન્ગ્યુના કેસના આંકડા મુજબ  જુલાઇમા 105 કેસ, ઓગસ્ટમાં 106, સપ્ટેમ્બરમાં 590 અને ઓક્ટોબરમાં 1 હજાર 980 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે.

(9:12 pm IST)