Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

આજે જૂનાગઢની આઝાદીની 71મી વર્ષગાંઠ :સરદાર પટેલની કુનેહથી ભારતમાં જોડાયું હતું

જૂનાગઢ :આજે 9 નવેમ્બરે જૂનાગઢ  આઝાદ થયું હતું. આજે જૂનાગઢની આઝાદીની71મી વર્ષગાંઠ છે. જૂનાગઢના આઝાદીના ઇતિહાસ અને સરદાર પટેલની કુનેહથી જૂનાગઢને પાકિસ્તાનથી અલગ કરી ભારતનો હિસ્સો બનાવી શકાયો હતો.

   જૂનાગઢનીઆઝાદીના પર્વે જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. જૂનાગઢ એક તબક્કેપાકિસ્તાનનો હિસ્સો બન્યું હોવાથી ઐતિહાસિક રીતે તે મહત્વનું સ્થાન ધરાવે છે.રાજ્ય સરકારે વર્ષ ૧૯૯૭થી જૂનાગઢના આઝાદી પર્વની ઉજવણી શરૂ કરી હતી. જે હવે એકપરંપરા બની ગઇ છે.

આજે જૂનાગઢ માટે સવિશેષ દિવસ છે.આજના દિવસે જૂનાગઢ આઝાદ થયું હતું. એક સમયે પાકિસ્તાનમાં જવાની હિલચાલ વચ્ચે જૂનાગઢને મળેલી આ આઝાદી ઘણી જ અમૂલ્ય છે. સંઘર્ષથી લઇને સ્વતંત્રતાની આ સફર ઘણી જ રોમાંચક છે.

(2:58 pm IST)