Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

જેતલસરના બાવાપીપળીયામાં ૩ ઘેટાનું મારણ કરતી સિંહણ

૧૬ ફુટ દીવાલ કૂદીને માલધારીના વાડામાં ત્રાટકી

જેતલસર. તા.૯ : બાવાપીપળીયા ગામે માલધારીના વાડામાં ત્રાટકેલી સિંહણે ૩ ઘેટાનું મારણ કરતા પશુપાલકો ભયભીત બન્યા છે. સંબંધિત વનતંત્રએ માલધારી પરિવારની જાણ પરથી ઘટના સ્થળે દોડીને સિંહણના પગેરું શોધવા કવાયત આદરી છે.

ભીખાભાઇ જાદવભાઈ ઝાપડાની માલિકીના વાડામાં ગઈકાલે સિંહણે ૧૬ ફૂટ ઊંચી દીવાલ કૂદીને અંદર પડી ૩ ઘેટાનું મારણ કર્યું હતું. બનાવની જાણ પરથી જેતપુર વનતંત્રના આરએફઓ મોરડીયા તેમની ટિમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ગ્રામજનોને કહેવા મુજબ ત્રણથી ચાર સિંહના આંટાફેરા જોવા મળ્યા હતા. આરએફઓએ મારણ વિસ્તારને તપાસીએ સ્ટાફને સિંહ પરિવારનું પગેરું શોધવા કવાયત આદરીને ગ્રામજનોએ સિમ વિસ્તારમાં રાત્રીના ન રોકાવા તાકીદ કરી હતી.

(1:22 pm IST)