Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ધ્રોલ ખાતે તા. ૧૩ના શ્રી સિંધવાઇ માતાજી તથા શ્રી ખોડીયાર માતાજીના મંદિર નવનિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે

વરૂ પરિવાર દ્વારા સંતો મહંતોની ઉપસ્થિતીમાં મહાપ્રસાદ, લોકડાયરાનું આયોજન

ધ્રોલ,તા. ૯ : ધ્રોલ ખાતે શ્રી વરૂ પરિવાર દ્વારા તા. ૧૩ સિંધવાઇ માતાજી તથા શ્રી ખોડીયાર માતાજીના મંદિર નવનિર્માણ પ્રાણ, પ્રતિષ્ઠા, માતાજીનું ભયરૃં  તથા બોલમોવારાનું આયોજન કરવામાં આવ્યું છે.

ચાર દિવસ સુધી ચાલનારા આ પ્રસંગમાં મંગળવાર સવારે ૭ કલાકે દેવી-દેવતાઓની પુજા, ૧૧:૩૦ કલાકે શાંતિ યજ્ઞ, વાસ્તુ યજ્ઞ, શાંતિ પુષ્ટિ બપોરે ૩ કલાકે શોભાયાત્રા, જલયાત્રા સાંજે ૪ કલાકે મહાઆરતી, ૬:૦૦ વાગ્યે ધાન્યાસી વાઝના કાર્યક્રમો યોજાશે.

બુધવારના શ્રી સિંધોઇ માતાજી તથા શ્રી ખોડીયાર માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંતર્ગત સવારે ૭:૦૦કલાકે રનપન વિધિ ૧૦ વાગ્યુ ઇંડુ, ધજાજી તથા સંતોના સામૈયા, બપોરે ૧૧ કલાકે નિજ મંદિરમાં પધરામણી, બપોરે ૩:૩૦ કલાકે પૂર્ણાહુતિ (બીડું હોમવાનું) કરવામાં આવશે. રાત્રે ૮:૩૦ કલાકે લોકડાયરો જેમાં રશ્મિતા રબારી, બાબુ આહીર, રામ વરૂ, ગોપાલ ભરવાડ ભાગ લેશે.

ગુરૂવારના રોજ સવારે ૬ કલાકે કર લેવાનું (લેટ લેવાનું) કાર્યક્રમ યોજાશે. બુધવાર બપોરે ૧૧ કલાકે તથા સાંજે ૭ કલાકે મહાપ્રસાદ અને ગુરૂવારના સવારે ૧૧:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે.

કાર્યક્રમમાં મહંતશ્રી ૧૦૦૮ પ.પુ.ઘનશ્યામપુરી બાપુ ગુરૂશ્રી શિવપુરી બાપુ (મુ.ઝાઝાવાડા), ભગતશ્રી બાલારામ બાપા રઘુબાપા (મૂળાબાપાની જગ્યા-દ્વારકા), મહંતશ્રી ગાંડુ ભગત મિચ્છોમાની જગ્યા-મોરબી, ભુવાશ્રી રાજાભાઇ વિરમભાઇ વરૂ (રધોઇ ખોડિયાર માતાજીના કરનાભુવા), વિરમભાઇ નાગજીભાઇ (પૂર્વ પ્રમુખ ધ્રોલ નગરપાલીકા), પાંયાભાઇ કડવાભાઇ (પૂર્વ પ્રમુખ ધ્રોલ નં. ૫) ગોકળભાઇ વહાણભાઇ વરૂ (સમાજ કાર્યકર) વીરમભાઇ રૂખાભાઇ વરૂ (કર્મચારી નગરપાલીકા ધ્રોલ), હીરાભાઇ કરૂણાભાઇ ઘેલાભાઇ વેજાભાઇ વરૂ પટેલ પંચ ડોષી જામનગર સહિતના સંતો મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

(1:09 pm IST)