Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

બ્રિજેશભાઇ મેરજાની જન આશિર્વાદ યાત્રા સુરેન્દ્રનગરમાં

દુધરેજ વડવાળા મંદિરના મહંતના આશિર્વાદ લીધા : સંતો - આગેવાનો - નગરજનો દ્વારા સન્માન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૯ : નવા બનેલા રાજયકક્ષાના મંત્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં જ ના આશીર્વાદ યાત્રા અંતર્ગત લોકોના આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધ્યાન આશીર્વાદ યાત્રાનું સમગ્ર આયોજન જિલ્લા ભાજપની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે અને લોકોના ઘર સુધી પહોંચી અને નેતાઓ આશીર્વાદ મેળવી રહ્યા છે.

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કાલે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત રાજય કક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા સુરેન્દ્રનગરની મુલાકાતે પહોંચ્યા હતા અને જિલ્લાની જનતા સુધી પહોંચી અને આશિર્વાદ મેળવ્યા હતા ત્યારે ઠેર ઠેર જગ્યાઓ ઉપર તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુર ગામે ભવ્ય અભિવાદન કરી અને ગ્રામજનો દ્વારા તેમનું સન્માન કરી અને મંત્રીમંડળમાં સ્થાન મેળવવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

ત્યારબાદ ઘણા આશીર્વાદ યાત્રા આગળ વધી અને દુધરેજ ગામની મુલાકાતે પહોંચી હતી તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરના દુધરેજ ગામમાં આવેલા વડવાળા મંદિરની મુલાકાતે રાજયકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા પહોંચ્યા હતા અને ત્યાં વડવાળા દેવ ના દર્શન કરી અને સંત-મહંત ના આશીર્વાદ લીધા હતા ખાસ કરી કનીરામદાસજી બાપુ ના આશીર્વાદ લઇ અને જિલ્લામાં શહેરી વિસ્તારમાં જળ આશીર્વાદ યાત્રાએ પ્રવેશ મેળવ્યો હતો.

ત્યારે વડવાળા મંદિરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે બ્રિજેશભાઈ મેરજાને પાઘડી પહેરાવી અને સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ જગદીશભાઈ મકવાણા, ચંદ્રેશભાઇ પટેલ, હાર્દિકભાઈ ટમાળિયા, મહેન્દ્રભાઈ પટેલ, સહિતના ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:09 pm IST)