Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

જોડિયાધામમાં આઇ ખોડિયાર માતાજી મંદિરમાં બીજા નોરતે ગરબાની રમઝટ જામી

વાંકાનેર :  જોડિયાઃ જોડિયાધામ માં સુતાર શેરી માં આવેલ વર્ષો જૂનું આઇ ખોડિયાર માતાજી મંદિરમાં ઘણા વર્ષોથી આ મંદિરમાં માતાજીના મંદિરમાં બેસીને ભાવિકો નવરાત્રી ના પાવન રૂડા અવસરે માતાજીના પ્રાચીન ગરબા ગાય છે અને માતાજીની આરાધના કરે છે જેમાં આ વર્ષે નવરાત્રીના બીજા નોરતે  ખોડિયાર માતાજી મંદિરે ગરબાની અનોખી રંગત જામેલ હતી જેમાં જોડિયાના  રમેશભાઈ ચંદારાણા,  મહેન્‍દ્રભાઈ,  યોગેશભાઈ તન્ના ,  શેલેષભાઈ ઝાલા,  ભરતભાઈ ગણાત્રા,  ખીમજીભાઈ પટેલ તથા મંદિરના અનન્‍ય ભક્‍ત  હરિભાઈ લુહાર તેમજ  ખોડિયાર મંદિરના ભાવિકોએ માતાજીના બીજા નોરતે ભક્‍તિમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે માતાજીની આરાધના કરી ગરબાની રંગત જમાવી હતી જે યાદી ભરતભાઈ ગણાત્રાએ જણાવેલ છે.

 

(11:49 am IST)