Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સુરેન્દ્રનગરના કોળી યુવકની રાત્રે હત્યા

તલવારનો ઘા ઝીંકીને હત્યા કરનારા શખ્સો નાશી છૂટયા

વઢવાણ, તા. ૯ : સુરેન્દ્રનગરમાં ભીખા દેત્રોજા નામના કોળી યુવકની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે.

આ અંગેની સુરેન્દ્રનગર એ-ડીવીઝન પોલીસ મથક ખાતેથી જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના છેવાડાના વિસ્તાર આવેલો છે. આ વિસ્તારને વડનગર તરીકે ઓળખાય છે. આ વડનગર ખાતે રાત્રીના બાર વાગ્યાના અરસામાં છોકરી બાબતમાં કોળી સમાજના બે જુથો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાનું કારણ હાલમાં છોકરી પ્રકરણ હોવાનું બહાર આવ્યું છે, ત્યારે વાહાણભાઇ ઉર્ફે ભીખાભાઇ દેત્રોજા નામના યુવાનની તલવારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવેલ છે.

ત્યારે આરોપીઓમાં રામસંગભાઇ વિરમભાઇ, ઘનશ્યામ વિરમાભાઇ, પલા વિરમભાઇ, સંજય રામસંગ, ગંગાબેન રામસંગભાઇ, ગીતાબેન, કાનુબેન સહિતના આરોપીઓ ભેગા મળી વાહણાભાઇ ઉર્ફે ભીખાભાઇ દેત્રોજાનું ઢીમ ઢાળી અને નાશી છૂટયા છે, ત્યારે પોલીસે આરોપી ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પ્રકરણમાં કોળી સમાજના યુવાનની હત્યાના બનાવમાં છોકરી પ્રકરણ બહાર આવ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર પોલીસને જાણકારી મળતાની સાથે જ પોલીસ કાફલા સાથે સુરેન્દ્રનગર શહેરના છેવાડાના વિસ્તાર વડનગર ખાતે પહોંચી જઇ અને અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

(12:58 pm IST)