Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સાવરકુંડલા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન

સાવરકુંડલા : રાજદરબારગઢ જશોનાથ દાદાના પટાંગણમાં દર વર્ષની જેમ આગવી પરંપરાગત મુજબ શ્રી રામચંદ્ર ભગવાન વિજયા દશમીના દિવસે અશુરોનો નાશ કરી વિજયા દશમી ઉજવતા આવેલ.આ કાર્યક્રમમાં યજમાન તરીકે ઉપસ્થિત અજીતસિંહજી ધિરૂભા જાડેજા સાહેબ જેઓએ હરહંમેશ ક્ષત્રિય રાજપૂત સમાજને સંગઠીત બની અને સમાજ ઉપયોગી થવાની પ્રેરણા આપેલ તેમજ શિક્ષણ ઉપર પ્રાધાન્ય આપ્યુ હતુ. તેમજ શ્રી અજીતસિંહજી જાડેજા સાહેબનું સાવરકુંડલા રાજપુત ક્ષત્રીય સમાજ ટ્રસ્ટના પ્રમુખ મહાવીરસિંહ ગોહિલ દ્વારા સન્માન કરાયુ તેમજ ભુદેવ વિજયદાદાના મંત્રોચ્ચાર સાથે ગરાસીયા સમાજના ભાઇઓ શસ્ત્રપૂજન કરેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાવીરસિંહ ગોહિલ, મહામંત્રી કરણસિંહ જાડેજા, ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ વાજા રાઠોડ, મે.ટ્રસ્ટી અનિરૂધ્ધસિંહ વાજા, ટ્રસ્ટી બળદેવસિંહ જાડેજા, ટ્રસ્ટી કિરીટસિંહ પરમાર, ટ્રસ્ટી ટેમુભા વાળા, કનકસિંહ વાજા, પ્રતિપાલસિંહ જાડેજા, મહાવીરસિંહ વાજા રાઠોડ, વનરાજસિંહ વાજા રાઠોડ, ચંદ્રસિંહ ગોહિલ, અશ્વિનસિંહ વાજા રાઠોડ, પ્રધ્યુમનસિંહ પરમાર, યુવરાજસિંહ જાડેજા, સિધ્ધાર્થસિંહ ગોહિલ, જોરૂભા વાજા રાઠોડ, સહદેવસિંહ જાડેજા, ક્રિપાલસિંહ વાજા રાઠોડ, રાજદિપસિંહ જાડેજા, જયદિપસિંહ વાજા રાઠોડ,, સિધ્ધરાજસિંહ પરમાર, ધ્રુવરાજસિંહ વાજા રાઠોડ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, હરેન્દ્રસિંહ વાજા રાઠોડ, મહિદિપસિંહ વાજા રાઠોડ વગેરે ક્ષત્રીય સમાજના ભાઇઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. તેમજ આ કાર્યક્રમના ઇન્ચાર્જ કરણસિંહ જાડેજા તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ તેમ અનિરૂધ્ધસિંહ વાજાની યાદીમાં જણાવાયુ છે.(તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(11:45 am IST)