Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ગુંદાળામાં ઝેરી જનાવર કરડતા એમપીના ધ્રુમશીભાઇ ભેડાનું મોત

રાજકોટ,તા.૯: ગુંદાળા ગામ પાસે ઝેરી જનાવર કરડતા આદીવાસી પૌઢનું મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ ગુંદાળા ગામ પાસે જાદવભાઇની વાડીએ કામ કરતા એમપીના ધ્રુમશીભાઇ સુરસીંગભાઇ ભેડા (ઉવ.૫૦) પરમ દિવસે વાડીમાં સુતા હતા ત્યારે કોઇ ઝેરી જનાવર કરડતા તેને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્ટિપલમાં ખેસડયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક આદીવાસી પૌઢ બેભાઇમા ંનાના હતા એક પુત્રી અને બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ અંગે આટકોટ પોલીસે કાર્યવાહી કરી હતી.

(11:43 am IST)