Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

પોરબંદર : મંદીમાં માછીમારોના બેન્ક કરજ માફ કરવા રજુઆત

પોરબંદર તા ૯  : સમાજીક કાર્યકર મધુભાઇ  સોનેરીએ સબંધિત  બેન્ક શાખામાં રજુઆત કરીને મંદી સમયે માછીમારોના બેન્ક કરજ માફ કરવા માગણી કરી છે. રજુઆતમાં જણાવેલ કે, માછીમારીના ધંધામાં મંદીમાં  માછીમારોની સ્થિતી ખરાબ  છે કુટુંબનું ભરણપોષણ કરવું મુશ્કેલ છે, ત્યારે બેન્ક લોન કરજ ભરવાનો પ્રશ્ન છે. સરકારે ખેડુતો માટે પેન્શન યોજના જાહેર કરેલ છે. માછીમારો પણ દરિયાઇ ખેડુત છે.

(11:42 am IST)