Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ધોરાજી હિન્દુ યુવા સંગઠન દ્વારા નવરાત્રી મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું

ધોરાજી,તા.૯: ધોરાજી હિંદુ યુવક સંદ્ય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવ ૨૦૧૯ હિન્દુ યુવા સંદ્યના પ્રમુખ હરકિશન ભાઈ માવાણી ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો

પાંચ દિવસથી નવરાત્રી મહોત્સવમાં ખેલૈયો પોતાની કલા રજૂ કરી રહ્યા છે અને દરરોજ પ્રિન્સ અને પ્રિન્સેસ જાહેર કરવામાં આવે છે તેમજ તમામ ખેલૈયાઓને રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા વિગેરેના હસ્તે લાણી વિતરણ કરવામાં આવેલ છે.

નવરાત્રી મહોત્સવ ૨૦૧૯ માં ધોરાજી શહેર ભાજપના આગેવાનો રણછોડભાઈ કોયાણી વીડી પટેલ કિશોરભાઈ રાઠોડ હરસુખભાઈ ટોપિયા કે.પી.માવાણી પ્રવિણસિંહ જાડેજા પ્રફુલભાઈ વદ્યાસિયા ડીજી બાલધા દિલીપભાઈ હોતવાણી કેપી માવાણી ભોલાભાઈ માંવાણી અશ્વિનભાઈ વદ્યાસિયા ભરતભાઈ બગડા નયનભાઈ કુવાડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા.

(11:41 am IST)