Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

જામનગરમાં માતાનું પુત્રી સાથે અગ્નિસ્‍નાનઃ ૩ વર્ષની પુત્રીનું મોતઃ માતા ગંભીર

જામનગર તા ૯ : જામનગરમાં કૃષ્‍ણનગર શેરી નંબર ૪ માં રહેતી મહિલાએ પોતાની ત્રણ વર્ષય પુત્રી સાથે કેરોસીન છાંટી અગ્નિસ્‍નાન કરી લેતા પુત્રીનું મોત નિપજયું છે. જયારે મહિલાને ઘાયલ અવસ્‍થામાં જી.જી. હોસ્‍પિટલમાં  દાખલ કરવામાં આવ્‍યા છે. કૃષ્‍ણનગર શેરી નંબર  ચારમાં રહેતી મહિલા મિનાબહેન મિતલભાઇ ચાવડાએ પોતાના ઘરે જ સવારે ૧૧ વાગ્‍યે કેરોસીન છાંટી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો.જો કે તેમની ત્રણ વર્ષિય પુત્રી પ્રિયાંશીનું ઘટના સ્‍થળ ેજ મોત નિપજયું છે. પોતાના ઘરમાં પાછળના ભાગે કોઇ ઘરે ન હોવાથી ગેલેરીમાં જ શરીર પર કેરોસીન છાંટી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો

બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે મહિલાના પતિની પુછપરછ કરી છે. જો કે પરિવારજનોએ મહિલા માનસીક રીતે બિમાર હોવાનું જણાવી રહ્યા છે. (તસ્‍વીર કિંજલ કારસરીયા જામનગર)

 

(4:25 pm IST)