Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સુરેન્દ્રનગરના વેપારીનું અકસ્માતમાં મોતઃ પુત્ર-પુત્રીને ઇજા

વઢવાણ તા. ૯ : સુરેન્દ્રનગર મુળી રોડ ઉપર કુકડાગામના પાટીયા પાસે કાર અને સામે આવતા ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં આ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળ ઉપર ઘાયલ અવસ્થામાં સુરેન્દ્રનગર ઇન્ડીયા એજન્સીના વેપારી ભરતભાઇનું કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.

જયારે આ અકસ્માતની ઘટનામાં ભરતભાઇના પુત્ર -પુત્રી સહિત ચાર લોકો પણ અતિ ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ સુરેન્દ્રનગર ત્યારબાદ વધુ સારવાર માટે જેઓને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમના બેની હાલત હજુ નાજુક હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે.

(2:01 pm IST)