Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ખંઢેરીમાં સંગીતા ભુરીયા અને તેના ચાર બાળકોને મધમાખી કરડી

રાજકોટ તા. ૯: પડધરીના ખંઢેરીમાં વાડીમાં રહી મજૂરી કરતાં આદિવાસી પરિવારના પાંચ સભ્‍યોને મધમાખી કરડી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જેમાં ચાર બાળકો પણ સામેલ છે.

ખંઢેરીમાં વિપુલભાઇ ડવની વાડીમાં રહી મજૂરી કરતાં સુરેશભાઇ ભુરીયાની પત્‍નિ સંગીતા સુરેશ ભુરીયા (ઉ.૨૪) તથા તેના બાળકો ધર્મેશ (ઉ.૫), ભાવેશ (ઉ.૫), કાનો (ઉ.૨) તથા અરૂણ (ઉ.૧ાા)ને સાંજે વાડીએ હતાં ત્‍યારે મધમાખી કરડી જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. હોસ્‍પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએપડધરી પોલીસને જાણ કરી હતી.

 

(11:59 am IST)