Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

વિસાવદરના ઘોડાસણ ગામે સરકારી યોજનાનું માર્ગદર્શન અપાયું

સ્‍વચ્‍છતા ઝુંબેશ સાથે ગ્રામજનોને આયુષ્‍યમાન ભારતની માહિતી અપાઇ

વિસાવદર તા.૯: તાજેતરમાં વિસાવદર તાલુકાનાં ઘોડાસણ ગામે તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચો વિસાવદર દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન અંગેનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો.

સાથો સાથ દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા આપવામાં આવેલ ‘‘આયુષ્‍યમાન ભારત''નો કાર્યક્રમ લોન્‍ચ કરવાામાં આવ્‍યો તે અંગેનું વિસ્‍તૃત માર્ગદર્શન લાભીત ગરીબ લોકોને ઘોડાસણ ગામે આપવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મંત્રી શ્રી રાજશીભાઇ જિલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રીશ્રી દિનેશદાન ગઢવી તાલુકા ભાજપનાં મહામંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ કોટીલા ઘોડાસણ ગામનાં સરપંચ અને બક્ષીપંચ મોરચા મહામંત્રીશ્રી ભરતભાઇ વિકમા, નરેન્‍દ્રભાઇ મહેતા, ધીરૂભાઇ સાંગાણી તેમજ મોટી સંખ્‍યામાં બક્ષીપંચનાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા.

(10:21 am IST)