Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ઉંઝા લક્ષ્યચંડી મહાયજ્ઞમાં મોરબી સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઇ વરમોરા રૂ. ૪,રપ,પપ,પપ૧ ની ઉછામણી બોલીને મુખ્ય યજમાન

મોરબી તા. ૯ :.. વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનના પ્લેટિનમ ટ્રસ્ટી અને કોર કમીટીના સક્રિય સભ્ય તેમજ મોરબીના અગ્રણી સીરામિક ગ્રુપ સનહાર્ટ ગ્રુપના ચેરમેન ગોવિંદભાઇ વરમોરા (સનહાર્ટ ગ્રુપ, મોરબી-અમદાવાદ) દ્વારા લક્ષ્યચંડી મહાયજ્ઞની ઉઝા ખાતેની ઉછામણીના મુખ્ય યજમાન માટેના પાટલાની ઉછામણીમાં રૂ. ૪,રપ,પપ,પપ૧ ની ઉછામણી બોલીને મુખ્ય યજમાન થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ છે. જે મોરબી માટે ગૌરવની વાત છે.

કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમીયા માતાજીના ધામ ઊંઝા ખાતે ૧૮ ડીસેમ્બરના યોજાનાર વિશ્વ કલ્યાણ અર્થે લક્ષ્યચંડી મહાયજ્ઞ માટે યજમાન પદ માટે ઉછામણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય યજમાન સહિત રર બોલી બોલવામં આવી હતી. જેમાં સાડા સાત કરોડની ઉછામણી થઇ હતી. જેમાં મુખ્ય યજમાન પદે મોરબીના સનહાર્ટ ગ્રુપના સુપ્રીમો ગોવિંદભાઇ ગણેશભાઇ પટેલએ રૂ. ૪,રપ,પપ,પપ૧ ની ઉછામણી બોલીને મુખ્ય યજમાન થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ છે. જે મોરબી માટે ગૌરવની વાત છે.

મોરબીના સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઇ વરમોરાના પરિવારની ભાવનાને સહુએ બિરદાવીને સમાજ પ્રત્યેની લાગણીની કદર કરતા સમાજના અગ્રણીઓ અભિનંદન પાઠવ્યા છે. જેમાં વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનના તમામ ટ્રસ્ટીઓ તેમજ કોર કમીટી અને વર્કિંગ કમીટીના તમામ સભ્યોએ ગોવિંદભાઇ વરમોરા પરિવારને અંતઃ કરણપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. સાથે જ મા ઉમિયા તેમના પરિવાર ઉપર કૃપા વરસાવે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તેવા આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરી છે.

 

(5:01 pm IST)