Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

`પૂ. મોરારીબાપુ માફી નહિ માંગે, તેઓને માંગવા પણ નહિ દઈએઃ જૂનાગઢમાં કાલે સાધુ-સંતોનું સંમેલન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૯ :. પૂ. મોરારીબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે શરૂ થયેલ વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યો. આ સમગ્ર વિવાદને લઈને સંતો પણ બે ભાગમાં વેચાઈ ગયા છે. કેટલાક સંતો મોરારીબાપુના સમર્થનમાં ઉતરી આવ્યા છે તો કેટલાક સંતો મોરારીબાપુનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢના સંતોએ પણ પૂ. મોરારીબાપુ આ મુદ્દે માફી નહિ માગે અને અમે તેમને માફી પણ માંગવા દઈશુ નહિં તેમ જણાવ્યુ છે.

આ મુદ્દે જૂનાગઢના જાગીર આશ્રમના મહંત પૂ. ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યુ હતુ કે, પૂ. મોરારીબાપુએ દુકાનદારી ચલાવતા લોકો સામે માફી ન માગવી જોઈએ. નિલકંઠ એ નિલકંઠ જ કહેવાય. પૂ. મોરારીબાપુ અમારા ધર્મ પ્રચારક છે.

આ મુદ્દે કાલે બપોરે ૩ વાગ્યે જૂનાગઢના પ્રેરણાધામ ભવનાથ ખાતે સનાતન ધર્મ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. તેમ જૂનાગઢના સૂર્ય મંદિરના પૂ. જગજીવનબાપુએ જણાવ્યુ છે.

સનાતન ધર્મ સંમેલનમાં ગામેગામથી, તાલુકાઓમાંથી તેમજ જિલ્લામાંથી સમસ્ત સાધુ સમાજના આગેવાનો તથા સંતો ઉપસ્થિત રહેશે.

(4:34 pm IST)