Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

બોટાદના સાળંગપુર રોડ પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને ૫૫ વર્ષીય આધેડની કરપીણ હત્યા

ભાવનગર, તા.૯: બોટાદના સાળંગપુર રોડ પર તિક્ષ્ણ હથિયારના ઘા મારી એક આદ્યેડની હત્યા કરવામાં આવી છે. અનાજના ગોડાઉન પાસેના મુખ્યમાર્ગ પર દાનાભાઈ દલવાડી નામના ૫૫ વર્ષના આઘેડની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જો કે આદ્યેડની હત્યા કયા કારણસર કરવામાં આવી તેનું કારણ હજુ અકબંધ છે. હત્યાના બનાવને લઈને બોટાદની સોનાવાલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

(11:32 am IST)