Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ઉપલેટા નગરપાલિકા દ્વારા ગૌમાતાના લાભાર્થે જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા)ઉપલેટા તા. ૯ : શહેર પાસેની મોજ નદીનાં કાંઠે આવેલ પ્રાચિન સોમનાથ મંદિર પાસેનાં સોમનાથ મહાદેવ મંદિર સમિતી હસ્તકનાં વિશાળ પ્રાંગણમાં વર્ષોથી જન્માષ્ટમીનો પ્રાચિન અને સાંસ્કૃતિક મેળો પરંપરાગત રીતે ભરાય છે. જેનું આજુબાજુનાં ગામો અને તાલુકાઓમાં અદકેરું ધાર્મિક મહત્વ છે.ભગવાન સ્વામિનારાયણ સ્વયં હયાતી દરમ્યાન સોમનાથ મંદિરે દર્શને પધારેલ હોવાથી ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મોત્સવ નિમિતે ઉજવાતા આ લોકમેળાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ લોકમેળામાં દુકાનો તથા મનોરંજનનાં સાધનો વગેરે રાખવા માટે સોમનાથ મહાદેવ મંદિર સમિતી દ્વારા ભાડા ઉઘરાવવામાં આવીને તેનો ઉપયોગ સમિતી દ્વારા સત્કાર્યમાં કરવામાં આવે છે.

(12:43 pm IST)